loader-missing
 ||  જાહેરાત માટે

પત્રિકામાં-મંગળ-છે-એવુ-ક્યારે-કહેવાય-છે-


 

વિવાહ સંબંધમાં મંગળ દોષ મુખ્ય અવરોધ હોય છે અને ઘણીવાર અજાણતા પણ મંગળવાળી કુંડળીને લઈને ઉહાપોહ ઉભો કરવામાં આવે છે અને જાતકનુ લગ્ન થઈ જ નથી શકતુ. મંગળ સ્વભાવથી તામસી અને ઉગ્ર ગ્રહ છે. આ જે સ્થાન પર બેસે છે તેનો પણ નાશ કરે છે.  જેને જુએ છે તેને પણ નુકશાન કરે છે. ફક્ત મેષ અને વૃશ્ચિક રાશિ (સ્વગ્રહી) હોવાથી આ નુકશાન નથી કરતુ. જ્યારે કુંડળીમાં મંગળ પ્રથમ, ચતુર્થ, સપ્તમ અને અષ્ટમ કે દ્વાદશ સ્થાનમાં હોય તો તે પત્રિકા માંગલિક માનવામાં આવે છે. 
 
- પ્રથમ સ્થાનનો મંગળ સાતમી દ્રષ્ટિથી સપ્તમને અને ચતુર્થ દ્રષ્ટિથી ચોથા ઘરને જુએ છે. આની તામસિક વૃત્તિથી વૈવાહિક જીવન અને ઘર બંને પ્રભાવિત થાય છે. 
 
- ચતુર્થ મંગલ માનસિક સંતુલન બગાડે છે, ગૃહ સૌખ્યમાં બાધા પહોંચાડે છે જીવનને સંઘર્ષમય બનાવે છે. ચોથી દ્રષ્ટિથી આ સપ્તમ સ્થાન મતલબ વૈવાહિક જીવનને પ્રભાવિત કરે છે.  
 
-  સપ્તમ મંગલ જીવનસાથી સાથે મતભેદ ઉભો કરે છે અને મતભેદ અનેક વાર છુટાછેડા સુધી પહોંચી શકે છે. 
 
- અષ્ટમ મંગલ સંતતિ સુખને પ્રભાવિત કરે છે. જીવનસાથીની આયુ ઓછી કરે છે. 
 
- દ્વાદશ મંગલ વિવાહ અને શૈયા સુખને નષ્ટ કરે છે. વિવાહથી નુકશાન અને શોકનો કારક છે. 
 
મંગળનો દોષ ક્યારે નષ્ટ થાય છે ?