loader-missing
 ||  જાહેરાત માટે

ઘરમાં એવું મંદિર હોય તો આવશે, ભરપૂર સુખ-શાંતિ

ઘરમાં એવું મંદિર હોય તો આવશે, ભરપૂર સુખ-શાંતિ

ઘરમાં પૂજા સ્થળ હોવાથી મનને શાંતિ મળે છે પરંતુ જો તે વાસ્તુ સંમ્મત હોય ત્યારે જ શુભ ફળ પ્રાપ્ત થાય છે.

-ઘરમાં પૂજા સ્થળ શુભતાનું પરિચાયક છે તેનાથી સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. ઘરની પવિત્રતા પણ બની રહે છે તો અગરબત્તી વગેરેના ધૂપથી વાતાવરણ સુગંધિત થાય છે. વિષાણુ અને કિટાણુ ઘરમાં પ્રવેશ નથી કરતા.

-પૂજા સ્થળ પૂર્વી કે ઉત્તરી ઈશાન ખૂણા(ઉત્તર-પૂર્વ)માં હોવું જોઈએ, જો કે ઈશ્વરીય શક્તિ ઈશાન ખૂણાથી પ્રવેશ કરી નૈઋત્ય ખૂણઓ(પશ્ચિમ-દક્ષિણ)થી બહાર નિકળે છે. તેના એક ભાગ શરીર દ્વારા ગ્રાહ્ય બાયોશક્તિમાં બદલાઈ જીવનોપયોગી બનાવે છે.

-પૂજા કરનારનું મુખ પશ્ચિમમાં હોય તો અતિ શુભ માનવામાં આવે છે તેની માટે પૂજા સ્થળનું દ્વાર પૂર્વ તરફ હોવું જોઈએ.

-પૂજા કરતી વખતે જો મુખ પૂર્વમાં હોય તો ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે.

-શૌચાલય તથા પૂજા ઘર પાસે-પાસે ન હોવા જોઈએ.

-પૂજા સ્થળની સમક્ષ થોડુ સ્થાન ખુલ્લુ હોવું જોઈએ. જ્યાં આસાનીથી બેસી શકાય.

-પૂજા સ્થળની નીચે કોઈ પણ અગ્નિ સંબંધી વસ્તુઓ જેવી કે ઈન્વર્ટર કે વિધુત મોટર ન હોવી જોઈએ. આ સ્થાનનો ઉપયોગ પૂજા સામગ્રી, ધાર્મિક પુસ્તકો, શુભ વસ્તુઓ રાખવામાં કરવો જોઈએ.