loader-missing
 ||  જાહેરાત માટે

તો તમારું દામપત્ય સૌથી સુખી બની જશે !

તો તમારું દામપત્ય સૌથી સુખી બની જશે !

વાસ્તુ શાસ્ત્રીઓનું માનવું છે કે વાસ્તુમાં ફક્ત સુખ સમૃદ્ધિ નથી પરંતુ વાસ્તુમાં સુખી દાંપત્યજીવનના સૂત્રો પણ છુપાયેલા છે. દામ્પત્યજીવનમાં બેડરુમ ખૂબ ખાસ મહત્વ વધારે છે. જો બેડરુમમાં કેટલાક નિયમોનું પાલન કરવામાં આવે તો દામ્પત્યજીવન વધારે સુખમય બની શકે છે.

- જો તમે દામ્પત્યજીવનમાં ખુશી ઈચ્છો છો કે તમારે કેટલીક વાતોનું વિશેષ ધ્યાન રાખવું પડશે. બેડરુમ હંમેશા શાંત, ઠંડો અને હવા- ઉજાસ ધરાવનારો હોવો જોઈએ. બેડરુમમાં કામ વિનાનો સામાન ન રાખવો જોઈએ.

- બેડરુમમાં સ્વચ્છતા કાયમ રાખવી. તેના માટે ધ્યાન રાખવું જોઈએ કે બારી બીજા રુમ તરફ ના ખુલે. શયન કક્ષના રુમની બહાર તરફ બારી હોવી જોઈએ. તેનાથી દામ્પત્યજીવનમાં મીઠાસ વધે છે. 

- શયન કક્ષમાં રંગ હળવો જોઈએ અને દીવાલો પર ચિત્રો ઓછા હોવા જોઈએ. ચિત્રો મોહક હોવા જોઈએ.

- બેડરુમના પલંગમાંથી અવાજ ન થવો જોઈએ અને તેને હંમેશા યોગ્ય દિશામાં રાખવો જોઈએ. સુતી વખતે મસ્તિષ્ક દક્ષિણ તરફ રાખવું જોઈએ અને આરામદાયક તથા ભરપુર ઉંઘથી દામ્પત્યજીવન વધુ સુખમય બનાવવું જોઈએ.

- બાથરૂમ બેડરૂમ સાથે રાખવો જોઈએ. બાથરૂમનો દરવાજો બેડરુમમાં ખુલતો હોવો જોઈએ અને તેને બંધ રાખવો જોઈએ. તમે તેના પર પડદો પણ રાખી શકો છો.

6. બેડરૂમમાં પેયજળની સુવિધા હોવી જોઈએ જેથી તમારે રાતે ઉઠીને બહાર ન જવું પડે.

7. બેડરૂમમાં પ્રકાશની સુવિધા હોવી જોઈએ ઉચિત સુવિધા કરવી જોઈએ. સુતી વખતે ઝીરો વોટનો બલ્બ કરવો જોઈએ. રોશની સીધેસીધી પલંગ પર ના પડવી જોઈએ.